ધનસુરા તાલુકાના પાંચકુહાડા ગામે પ્રાંત-કલેકટરના અધ્યક્ષ સ્થાને રાત્રીરોકાણ કાર્યક્રમ
ધનસુરા તાલુકાના પાંચકુહાડા ગામે પ્રાંત કલેકટરશ્રી, બાયડ મામલતદારશ્રી, ધનસુરા તાલુકા વિકાસ અધિકારીશ્રી, ધનસુરા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓની હાજરીમાં રાત્રિરોકાણ કાર્યક્રમમાં વિધવા સહાયના હુકમ આપી તમામ વિધવાઓને સહાય મંજૂર કરવામાં આવી ગામના અગ્રણી યુસુફભાઇ કલાલ દ્વારા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળે સિંચાઈ માટે કેનાલનો લાભ મળે. બેચરાજી મોડાસા વાયા કડી ધનસુરા બસ ચાલુ કરવા સીસી રોડ તેમજખેતીમાં વીજળીના કનેકશનમાં અલગ ડીપી ઉભો કરી બિનજરૂરી થાંભલા નાંખવાના બંધ કરવા પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલવામાં વિધવાઓને પડતી મુશ્કેલીઓના પ્રશ્નોને ઉકેલ લાવવા કલેકટરશ્રીએ હૈયાધારણ આપી ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી. આ પ્રસંગેધનસુરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ આબેદાબેન કલાલ તેમજ ગ્રામજનોએ ખુબમોટી સંખ્યામાં હાજરી આપી.
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)