ધાનેરા રેલવે પુલ પરનું ડાયવર્ઝન રાત્રિના સમયે કોઈએ તોડી પાડ્યું

ધાનેરા રેલવે પુલ પરનું ડાયવર્ઝન રાત્રિના સમયે કોઈએ તોડી પાડ્યું
Spread the love

ધાનેરામાં રેલ્વે પુલ નું કામ ચાલી રહ્યું છે ત્યારે બે દિવસ અગાઉ તંત્ર દ્વારા મોટા વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને તેને લઇ પુલ પર મોટા વાહન પસાર ન થાય તેની માટે ઇંગલ લગાવવામાં આવી પરંતુ ગત રાત્રે કોઇ વાહન ચાલકે આ ઇંગલ તોડી નાખતા અનેક તર્ક વિતર્ક ઉઠવા પામ્યા છે. ધાનેરા વિવેકાનંદ સ્કૂલ પાસે આવેલ રેલવે બ્રિજ ટ્રાફિક સમસ્યાને લઇ ધાનેરાના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને વારંવાર પુલનું નવીનીકરણ માટે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે લોકોની રજૂઆતને ધ્યાને લઇ તંત્ર દ્વારા આ પુલનું નવીનીકરણ કામ કરવામાં આવ્યું છે ત્યારે આ પુલ પરથી પસાર થતા તમામ મોટા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને મોટા વાહનો પસાર ન થઇ શકે તે માટે આ પુલની ઉપર ઇંગલ લગાવવામાં આવી છે પરંતુ ગત રાત્રે કોઇ વાહન ચાલકે ઇંગલ તોડી નાખી છે જેને લઇને સવારે લોકોને ખબર પડતાં લોકો એકઠા થયા હતા અને આ ઇંગલ કોણે તોડી તેને લઈ અનેક સવાલો ઉઠાવ્યા હતા તો બીજી તરફ લોકો ઇચ્છી રહ્યા છે કે ડાયવર્ઝન દરમિયાન સિક્યુરિટીની પણ વ્યવસ્થા કરવામાં આવે તો આપ અવાર નવાર નુકસાન ભોગવવાનો વારો ના આવે.

 

Admin

Admin

9909969099
Right Click Disabled!