ચાણસ્માના પાંજરાપોળમાં લાગી આગ, ફાયર ફાઈટરએ આગ ઉપર મેળવ્યો કાબૂ

Spread the love

પાટણના ચાણસ્મા મહાજન પાંજરાપોળમાં ગત મોડી રાતે ચાઈનીઝ તુક્કલ પડવાથી આગ લાગી હતી. આ આગ લાગવાને કારણે સ્થળ ઉપર પડેલો પશુંનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો. જોકે આગની જાણ થતાજ પ્રાઈવેટ પાણી ના ટેન્કર અને નગરપાલિકાના લાય બમ્બા સ્થળ પર પહોચ્યા હતા. અને તેમણે આગને કાબૂમાં લીધી હતી. અને 9 યુવાનોએ ભારે જહેમત કરી. ત્યારબાદ આગ કાબૂમાં આવી હતી. પરંતુ આ ઘટનામાં ચાણસ્મા નગરપાલિકાના લાય બમ્બા શોભાના ગાઠીયા સમાન પુરવાર થયા હતા. મહત્વનું છે કે આગને કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં ઘણા લોકો ખાનગી રીતે તેનું વેચાણ કરતા હોય છે. ત્યારે ચાઈનીઝ દોરી અને તુક્કલના કારણે મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. આ આગની ઘટનામાં કોઈને પણ કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી.

Admin

Admin

9909969099
Right Click Disabled!