મહિલાની હત્યા કરી નાસતો ફરતો આરોપી ૨૨ વર્ષે ઝડપાયો
સુરત,
વરાછામાં આવેલા ડાહ્યા પાર્ક સોસાયટી નજીકની કચરાપેટીમાંથી મળી આવેલી મહિલાની હત્યા કેસના આરોપીને પોલીસે ૨૨ વર્ષ પકડી પાડ્યો છે. પત્નીની હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી સુરતમાં રીક્ષા ચલાવતો હોવાની મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પૂજા પંડ્યા હત્યા કેસમાં અગાઉ પોલીસે બે આરોપીઓને જે તે સમયે પકડી પાડ્યાં હતાં. ગિરિરાજ કુશવાહ આણી મંડળીએ ૨૯ ઓક્ટોબર ૧૯૯૮માં પૂજાની હત્યા કર્યા બાદ લાશને સગે વગે કરવાના ઇરાદે મૃતદેહને પાલિકાની કચરાપેટીમાં નાંખી ભાગી ગયાં હતાં.
પોલીસે જણાવ્યું હતું કે, પૂજા પડ્યા હત્યા કેસ ખૂબ જ ગુંચવાળાભર્યો હતો. એક મહિલાની કચરપેટીમાંથી લાશ મળવી અને શરીર પર ઇજાના નિશાન હતા. જે તે સમયે આ કેસની તપાસ વરાછા પોલીસ કરી રહી હતી. તપાસ દરમિયાન પૂજાની હત્યા કરી લાશને કચરા પેટીમાં ફેંકી દેવાઈ હોવાનું બહાર આવ્યું હતું. જેને લઈ રાજબહાદુર લીલાધર કુશવાહ અને સરેશ કુશવાહની ધરપકડ કરી તપાસ આગળ ચાલી હતી. જાકે આ હત્યા કેસમાં હજી કેટલાક આરોપીઓ ભાગી જતા અને પોલીસ પકડમાં ન આવતા વોન્ટેડ જાહેર કરાયા હતા. ૧૯૯૮ ઓક્ટોબરના પૂજા પંડ્યા હત્યા કેસમાં એક આરોપી વરાછા ઢાળ પાસે રહેતો હોવાનું અને રીક્ષા ચલાવતો હોવાની બાતમી મળી હતી. જેની વોચ ગોઠવી પોલીસે પકડી પાડ્યો છે ૧૯૯૮ના કેસમાં એટલે કે લગભગ ૨૨ વર્ષ જુના હત્યા કેસમાં પોલીસને વધુ એક આરોપી પકડાયો છે જેની આગળની તપાસ ચાલી રહી છે.