સામાજીક એકતા જાગૃતિ મિશન દ્વારા બોટાદ માં ડૉ.આંબેડકર સાહેબની પ્રતિમાનો અનાવરણ સમારોહ

સામાજીક એકતા જાગૃતિ મિશન દ્વારા બોટાદ માં ડૉ.આંબેડકર સાહેબની પ્રતિમાનો અનાવરણ સમારોહ
Spread the love

બોટાદ જીલ્લા ના સર્વ સમાજના યુવાનો દ્વારા આજ રોજ તા:- 26/01/2020 ને ગણતંત્ર દિવસના પાવન અવસર પર બંધારણના ઘડવૈયા, રાષ્ટ્ર નિર્માતા ડૉ.બાબાસાહેબ આંબેડકરજી ના નિર્વાણ દિવસ નિમિત્તે રાણપુર તાલુકાના જાળીલા મુકામે વિશાળ મહાસંમેલન અને બાબા સાહેબ ની પ્રતિમા અનાવરણ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક અને ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ કેવલસિંહ રાઠોડ સાહેબ, પ્રદેશ પ્રભારી શ્રી ચિરાગભાઈ પરીખ, પ્રદેશ અધ્યક્ષ શ્રી મનોજ પરમાર, કાર્યકારી અધ્યક્ષ શ્રી ભીમજી બેડવા, ગાંધીનગર જીલ્લા ના પ્રભારી ડૉ.રજનીકાંત ચૌહાણ, ગાંધીનગર જીલ્લા ના અધ્યક્ષ શ્રી પ્રભુ કબીરા, બોટાદ જીલ્લા ના પ્રભારી શ્રી સુનિલ ચાવડા, બોટાદ જીલ્લા ના સહપ્રભારી શ્રી પ્રકાશભાઈ મકવાણા, બોટાદ જીલ્લા ના અધ્યક્ષ શ્રી વિનોદરાય શ્રીમાળી, બોટાદ જીલ્લા ના મહાસચિવ શ્રી તુષાર સોલંકી સહિત ના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જાળીલા મુકામે આયોજીત વિશાળ મહાસંમેલન માં ગુજરાત ના ગામડે ગામડે થી સર્વ સમાજના અસંખ્ય ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા, આ કાર્યક્રમ માં બોટાદ જીલ્લા ના તમામ સામાજીક આગેવાનો અને પદાધિકારીઓનું આયોજકો દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં અમેરિકા સ્થિત બિઝનેસમેન શ્રી ભીમજીભાઈ સુતરીયા, શ્રી હરિલાલ સુતરીયા, ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીમતી ગીતાબેન સોલંકી, સામાજીક કાર્યકર્તા નારણ આસલ, તલાટી કમ મંત્રી શ્રી બુરહાનભાઈ સોડાવાલા, ઉપસરપંચ શ્રી તુષાર સોલંકી, સામાજીક ન્યાય સમિતિ ના ચેરપર્સન શ્રીમતી ગોમતીબેન અલગોતર, હેતલબેન સોલંકી, લક્ષ્મીબેન વેકરીયા, તેજલબેન ગોદલીયા, રામુબેન ખાવડીયા, પ્રેમબેન ખાવડીયા, લાભુભાઈ ગોળકીયા, અશોકભાઈ વાઘેલા, રામજીભાઈ સાચલા, સવિતાબેન ભીટોળા, દીપકભાઈ સોલંકી, મધુબેન બાવળીયા, વિનુભાઈ સોલંકી, અમૃતલાલ શાહ, ગટુરભાઈ બાવળીયા, હરજીભાઈ ભરવાડ, રામજીભાઈ લીંબડ, રામજીભાઈ ભરવાડ, ગોરધનભાઈ પટેલ, હિરાપુરી ગૌસ્વામી, નાથાલાલ વેકરીયા, મુન્નાભાઈ માંકડ, સલીમ ચૌહાણ સહિત ના સર્વ સમાજ ના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ ની શરૂઆત માં સૌપ્રથમ રાષ્ટ્ર નિર્માતા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નું અનાવરણ યુવા નેતા એડવોકેટ શ્રી કેવલસિંહ રાઠોડ સાહેબ ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ સમારોહ માં વક્તાઓ દ્વારા ‘રાષ્ટ્ર નિર્માણ માં ડૉ.આંબેડકર ના યોગદાન’ તથા ‘બાબાસાહેબ આંબેડકર ના સપના નું ભારત’ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સર્વ સમાજ ના લોકો ને ભાઈચારો કેળવવા બાબતે તથા ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનો ને અંધશ્રદ્ધા, રૂઢિ રિવાજ અને વ્યસનો થી મુક્ત થવા માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું.

સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક શ્રી કેવલસિંહ રાઠોડ દ્વારા આગામી સમય માં ગુજરાત ના તમામ ગામડાઓમાં રાષ્ટ્ર નિર્માતા બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાઓ મુકવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. સર્વ સમાજના લોકો દ્વારા જાળીલા મુકામે યોજાયેલ ડૉ.આંબેડકર પ્રતિમા અનાવરણ સમારોહ અને જીલ્લા કક્ષા ના મહાસંમેલન ને સફળ બનાવવા માટે સંગઠન ના જીલ્લા મહાસચિવ શ્રી તુષાર સોલંકી ના નેતૃત્વ માં સર્વ સમાજ ના અસંખ્ય યુવાનોએ જહેમત ઉઠાવી હતી..!!

રિપોર્ટ :- તુલસી બોધુ  (લોકાર્પણ દૈનિક-બ.કાં)

Admin

Admin

9909969099
Right Click Disabled!