ત્રીજી દીકરી જન્મતા પતિએ પત્નીને માર મારી ઘરમાંથી કાઢી મુકી
અમદાવાદ,
નરોડામાં રહેતી ૩૦ વર્ષીય પ્રીતિબેન ત્રિવેદી હાલ તેની ત્રણ દીકરીઓ સાથે પિયરમાં રહે છે. વર્ષ ૨૦૦૮માં હિંમતનગર ખાતે જતીન ત્રિવેદી સાથે તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિએ તેમને થોડા દિવસ સારી રીતે રાખ્યા હતા. બાદમાં દહેજમાં લાવી નથી તેમ કહી તેમની સાથે પતિ, સાસુ અને સસરા ઝઘડો કરતા હતા.
દરમિયાન પ્રીતિબેનના ખોળે એક બાદ એક બે પુત્રીઓને જન્મી હતી. ત્યારે પતિએ કÌšં કે, હવે દીકરી નહીં પણ દીકરો જાઈએ છે. જા દીકરો ન થાય તો તેની કોઈ જરૂર નથી. જે બાદમાં પ્રીતિબેને ત્રીજી દીકરીને જન્મ આપતા જ પતિએ ઝઘડા કરવાનું અને માર મારવાનું શરૂ કર્યું હતું.
દરમિયાન જતીને પત્ની પ્રીતિને કÌšં કે, તેને સરિતા શર્મા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે. આથી હવે તે તેની સાથે રહેવા માંગે છે. આટલું કહીને પ્રીતિને તેના પતિએ કાઢી મૂકવાની વાત કરી હતી. બાદમાં સાસુ-સસરાએ પણ આ વાતમાં સાથ પૂરાવ્યો હતો અને પ્રીતિબેનને ઘરમાંથી કાઢી મૂક્્યા હતા. પિયરમાં ગયા બાદ ત્રાસીને આખરે પ્રીતિબેને નરોડા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.