ઉપલેટા અંજુમન એ હી ઇસ્લામ ટ્રસ્ટ તથા ડૉ.સાપોવડીયા દ્વારા વિનામૂલ્ય આંખના મોતીયાનો કેમ્પ
ઉપલેટા અંજુમન એ હીમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ તથા ડૉ.સાપોવડીયા દ્વારા, વિનામૂલ્ય આંખ ના મોતીયાનો કેમ્પ યોજવામાં આવ્યો
ઉપલેટામાં ગરીબ દર્દીઓ માટે આજે વર્ષો થી અલગ અલગ સંસ્થાઓ દ્વારા વિના મૂલ્યે આંખના મોતીયાના કેમ્પો યોજવામાં આવે છે અને મોટા પ્રમાણમાં દર્દીઓ આનો લાભ લે છે ત્યારે આ વખતે પણ અંજુમને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અને ડૉ. સાપોવડિયા ના સહકારથી ઉપલેટા મુસ્લિમ હાઈસ્કૂલ માં આંખના મોતિયા ના ફ્રી નિદાન કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ઘણા બધા દર્દીઓએ જેનો લાભ લીધો હતો. આ તકે ડો.સાપોવડીયા સાહેબ તથા તેમની ટીમ નું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.
સાથે સાથે પીર એ તરિકત સૈયદ દાદાબાપુ, ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાદિયા, મેમન અગ્રણી હા.જુનેદભાઇ નાથાણી, તાલુક પંચાયાતના પૂર્વ પ્રમુખ લાખાભાઇ ડાંગર, શહેરપ્રમુખ કૃષ્કંત ચોટાઈ, ચેમ્બર ઓફ કોમર્સ ના વિનુભાઈ ઘેરવડા, ડાયાભાઇ ગજેરા, ડો.પિયુષ કણસાગરા ડો. શાહનવાઝ મકડી, ડો.સલમાન બટકીનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ તકે સમસ્ત મેમન જમાતના પ્રમુખ તથા તમામ કારોબારી સમિતિનાં સભ્યો તથા મેમન સમાજના તમામ અગ્રણીઓ હાજર રહ્યા.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)