સાબરકાંઠાના વડાલીમાં આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શતાબ્દિ મહોત્સવનો પ્રારંભ

સાબરકાંઠાના વડાલીમાં આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શતાબ્દિ મહોત્સવનો પ્રારંભ
Spread the love

સાબરકાંઠા : વડાલીમાં આવેલ કાશીવિશ્વનાથ મંદિર ખાતે ત્રિદિવસીય શતાબ્દિ મહોત્સવનો પ્રારંભ થયો છે.તેમાં વડાલી તપોદન સમાજના લોકો તેમજ બહારગામથી વસવાટ કરતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ગઈકાલે પંચાગ કર્મ,મંડપ પ્રવેશ તથા મહારુદ્રયાગ પ્રારંભ,સ્થાપિત દેવતાઓનું યજમાનો દ્વારા પૂજન અને અગ્નિસ્થાપન આ કાર્યક્રમ માં યોજાયા હતા.

જ્યારે આજે સ્થાપિત દેવતાઓનું પૂજન અને ભૂદેવો દ્વારા આહુતિ,જલયાત્રા, શિવલિંગપૂજન અને મહાઅભિષેક કાર્યક્રમ યોજાશે.તેમજ આખા મંદિરમાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે જ્યારે મુખ્યઆચાર્ય શ્રી ગીરીશભાઈ દેવશંકર પંડ્યા તેમજ બાવીસ ભૂદેવોની ઉપસ્થિતમાં શતાબ્દિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

રીપોર્ટ : અલ્પેશ પટેલ, વડાલી

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!