આર્થિક સંકડામણમાં યુવકે ઝેરી દવા પી આપઘાત કરતા ખળભળાટ
સુરત,
કતારગામ વિસ્તારમાં જુના કિલ્લામાંથી ૩૮ વર્ષીય આઘેડની લાશ મળી આવી હતી. જેની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં આર્થિક સંકડામણમાં ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા સુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, કતારગામ વિસ્તારમાં આવેલી પારસ પોલીસ ચોકીની સામે જૂનો કિલ્લો આવેલો છે. જેમાં કતારગામ વિસ્તારમાં જ રહેતા ૩૮ વર્ષીય સુરેશભાઈ વરીયાએ ઝેરી દવા પી લીધી હતી. જુના કિલ્લામાં મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જેમાં યુવક પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, આર્થિક સંકડામણના કારણે ઝેરી દવા પી આપઘાત કર્યો છે.