વડોદરા કલેક્ટરે વિમાની મથકે આસામના મુખ્યમંત્રી સહિત મહાનુભાવોને આવકાર્યા…
વડોદરા
કેવડિયા ખાતેના કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહેલા મહાનુભાવોને રાજ્ય સરકાર વતી જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે ઉષ્માપૂર્વક આવકાર્યા હતા. આસામના મુખ્યમંત્રીશ્રી સરબાનંદ સોનોવાલ, વિદેશ મંત્રીશ્રી એસ.જયશંકર, માલદીવના સ્પીકર શ્રીમાન મહંમદ નશીદ અને જાણીતા અર્થશાસ્ત્રીશ્રી એન.કે.સિંઘ આજે બપોરના સમયે વડોદરા વિમાની મથકે ઉતર્યા હતા. તે સમયે તેમને આવકારવામાં જિલ્લા કલેક્ટરની સાથે વડોદરા મહાનગરપાલિકા વતી સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીષ પટેલ તથા શહેર પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહજી પણ જોડાયા હતા.