અંકલેશ્વર ખાતે સિલ્વર લીફ હોટલનું પરસોત્તમ રૂપાલાના વરદહ્સ્તે થયેલું ઉદઘાટન

અંકલેશ્વર ખાતે સિલ્વર લીફ હોટલનું પરસોત્તમ રૂપાલાના વરદહ્સ્તે થયેલું ઉદઘાટન
Spread the love

ભરૂચ,
અંકલેશ્વર ખાતે સિલ્વર લીફ હોટલનું ભારત સરકારના કૃષિ રાજ્ય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાના વરદહસ્તે ઉદઘાટન થયું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, હરિધામ સોખડાના સંતો સર્વશ્રી સર્વમંગલ સ્વામી અને આનંદ મંગલ સ્વામી, અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી મહેશભાઈ પટેલ, શ્રી એન.કે.નાવડીયા, હોટલના સંચાલકો શ્રી અશોકભાઈ, ઉમેશભાઈ અને મુકેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત સરકારના કૃષિ રાજ્ય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાએ અંકલેશ્વર ખાતે નવી શરૂ થઈ રહેલી સિલ્વર લીફ હોટલના નવા સાહસને બિરદાવી સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી. અંકલેશ્વર એ દેશની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે ત્યારે સિલ્વર લીફ હોટલ નમૂનારૂપ હોટલ બની રહે તેવી લાગણીઓ વ્યક્ત કરી હતી. હરિધામ સોખડાના સંતશ્રી સર્વમંગલ સ્વામીએ આશિર્વચન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રારંભમાં અશોકભાઈ શુક્લ એ સ્વાગત પ્રવચન કર્યું હતું. મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન થયું હતું. આ કાર્યક્રમમાં ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ, આગેવાન પદાધિકારીઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!