ગરુડેશ્વર નર્મદા નદી નદીમાં નાહવા પડતા પગ લપસી જતા યુવાનનું મોત
રાજપીપળા,
ગરુડેશ્વર ખાતે વિયર ડેમ ની બાજુમાં આવેલ નર્મદા નદી માં આવા પડતા પગ લપસી જતાં યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું છે બનાવની વિગતો અનુસાર મરનાર યુવક મનીષકુમાર ચંદ્રેશ પ્રસાદ કહાર( ઉ.સ. 2૧ રહે વિયર ડેમ કોલોની પતરાના શેરમાં ઇંદરવર્ણ ) સવારના સાતેક વાગ્યા સવારના સાતેક વાગ્યાના સુમારે વિયર ડેમ ની બાજુમાં નર્મદા નદીના વહેતા પાણી માંથી નાહવા પડેલ હતો. જેમાં અકસ્માત રીતે પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા નદીમાં ડૂબી જતાં યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. વિયર ડેમ ના લેબર કોન્ટ્રાક્ટર પપ્પુ કુમાર પ્રસાદી ગરુડેશ્વર પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.