નાંદોદ તાલુકાના ગામે અદાવતે કોઈ વડે ગુલાબના 30 છોડ ઉખેડી નાખ્યા
રાજપીપળા,
નાંદોદ તાલુકાના આમલેથા ગામે અંગત અદાવાતે કોઇતા વડે ગુલાબના છોડ ઉખેડી નાખ્યા અને ચાલીસ ગુલાબના છોડ કાપી નાખતા કુલ 70 છોડને 14000 નુકસાન કર્યાની ફરિયાદ ચાર ઈસમો સામે આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ જેમાં ફરિયાદી દક્ષેશભાઈને થાય ફુલસિંગ દેસાઈ (રહે, આમલેથા )એ આરોપીઓ અક્ષય શાંતિલાલ તડવી હસનભાઈ નિઝામુદ્દીનભાઈ રંગરેજ, મીનાબેન હસનભાઈ રંગરેજ અને બીજા અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધી છે. ફરિયાદની વિગત અનુસાર ફરિયાદી દક્ષેશભાઈના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કોઇતા વડે એ ગુલાબના 30 છોડ ઉખેડી નાખે અને 40 છોડ કાપી નાખતા કુલ 70 છોડને 14000 નુકસાન કરી આરોપીઓ હસનભાઈ અને મીનાબેન અક્ષયભાઈ નું ઉપરાણું લઇ દક્ષેશભાઈની દુકાનમાં જઈ પ્રવેશ કરી ગમે તેમ ગાળો આપી થી ઢીકાપાતુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા કાયદેસરની કાર્યવાહી આમલેથા પોલીસે કરી છે.