રાષ્ટ્રીય લઘુમતિ પંચના સભ્ય સુનિલ સિંઘીએ અંબાજી ખાતે માતાજીના દર્શન કર્યા
પાલનપુર
રાષ્ટ્રી ય લઘુમતિ પંચ, નવી દિલ્હીના સભ્યશ્રી સુનિલ સિંઘીએ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. એક મુલાકાતમાં રાષ્ટ્રી ય લઘુમતિ પંચના સભ્યશ્રી સુનિલ સિંઘીએ જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને આપણા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી લઘુમતિઓના સર્વાગી વિકાસ માટે સતત ચિંતા કરે છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર તથા રાજય સરકારશ્રીના વિવિધ વિભાગો અને ખાતાઓ દ્વારા લઘુમતિઓના વિકાસ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. સભ્યશ્રીએ જણાવ્યું લઘુમતિઓનો સામાજિક, શૈક્ષણિક તથા આર્થિક એમ સર્વાગી વિકાસ કરવાની સરકાર કટીબધ્ધ છે. તેમણે કહ્યું કે લઘુમતિ સમાજના બાળકો સારું ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે લઘુમતિઓ માટે ફાળવવામાં આવતા બજેટની રકમમાં માતબર વધારો કરાયો છે અને પુરતા પ્રમાણમાં સ્કોલરશીપ આપવામાં આવે છે. આ પ્રસંગે સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) શ્રી એસ. એમ. લિમ્બાચીયા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.