‘આવોને ક્યારેક’ એવું કહેવું ને જાઓ ત્યારે ઘરે ના રહેવું
ગાંધીનગર સાહિત્ય સભા દ્વારા સર્જક સાથે એક સાંજ કાર્યક્રમ અંતર્ગત જાણીતા પત્રકાર, લેખક, કવિ, વાર્તાકાર ડા. દિનેશ દેસાઈ આમંત્રિત હતા. સાહિત્યસભાના પ્રમુખ નટવર હેડાઉએ પુસ્તક અને ઉપાધ્યક્ષ સંજય થોરાતે પુષ્પગુચ્છ આપી એમનું સન્માન કર્યું હતું. મંત્રી કલ્પેશ પટેલે એમનો સવિસ્તર પરિચય આપ્યો હતો. અબીલ જેવો છું, ગુલાલ જેવો છું, કરો તિલક શુભ-લાભ, ભાલ જેવો છું. સર્જક ડા. દિનેશ દેસાઈએ એમની લઘુવાર્તાના પઠન દ્વારા વાતની શરૂઆત કરી અને સુંદર મઝાની ગઝલ સુધી તેઓ ખીલ્યા. સર્જકે એમની કારકિર્દી પત્રકાર તરીકે શરૂ કરી હતી. અત્યાર સુધીમાં એમનાં ૮૪ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે, જે પૈકી ૨૮ પુસ્તકો નરેન્દ્ર મોદી અંગેનાં છે. એમનાં સર્જનની પ્રસ્તુતિ બાદની પ્રશ્નોત્તરીમાં સર્જકે ખુલ્લા દિલે એમના પુછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સાહિત્યસભાના ભાવકો સહિત અનેક સાહિત્યપ્રેમીઓ યુથ હાસ્ટેલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમને માણવા માટે ઉપÂસ્થત રહ્યા હતા.