અંબાજી ખાતે આવેલા કુંભેશ્ચર મંદિરમાં બરફના અમરનાથ બનાવાયા
અમિત પટેલ, અંબાજી
શક્તિ, ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત ધામ અંબાજી ગુજરાત નુ લોકપ્રિય શક્તિપીઠ છે આ ધામ મા આજે શ્રાવણ નો સોમવાર હોઈ શિવ મંદિરોમાં શિવ ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા, અંબાજી મા માતાજી ના મંદિર સિવાય વિવિધ શિવાલયો આવેલા છે ત્યારે આજે કુંભારીયા ખાતે આવેલા કુંભેસ્વર મહાદેવ મા બરફ નો ઉપયોગ કરી અમરનાથ બનાવવામાં આવ્યા હતા જેમા શિવ ભક્તો દર્શન કરવા મોટી સંખ્યામાં આવ્યા હતા.
આજે શ્રાવણ માસ ના ત્રીજા સોમવારે અંબાજી થી ૧.૫ કિમી આવેલા કુંભેશ્વર્ મહાદેવ મંદિરમાં મિત્ર મંડળ અને અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી આજે બરફ અને ઘી નો ઉપયોગ કરી બરફ ના અમરનાથ બનાવવામાં આવ્યા હતા, સાંજે અહી શિવ ભક્તો માટે પ્રસાદ ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, મોટી સંખ્યામાં શિવ ભક્તો અમરનાથ બરફાની ભૂખે કો અન્ન પ્યાસે કો પાની ના નાદ સાથે અમરનાથ દાદા ને યાદ કર્યા હતા.