જાગૃતિબેન આદર્શ પશુપાલન વ્યવસાય થકી આર્થિક સધ્ધરતા સાથે પ્રેરણાદાયી બન્યા 

જાગૃતિબેન આદર્શ પશુપાલન વ્યવસાય થકી આર્થિક સધ્ધરતા સાથે પ્રેરણાદાયી બન્યા 
Spread the love

મહિસાગર,
મહિલા સશકિતકરણ, આધુનિક સમયમાં સૌથી વધુ સાંભળવા મળે છે. જેમાં ભારતીય નારીઓએ સાચા અર્થમાં મહિલા સશકિતકરણના અર્થને સાર્થક કર્યુ હોવાનું પ્રમાણ મળે છે. તે સંદર્ભે મહીસાગર જિલ્લાના જાગૃતિબેને પશુપાલન ક્ષેત્રે સાહસ ખેડી પશુપાલન વિભાગની ૧૨ દુધાળા પશુ યોજના થકી વાર્ષિકઅંદાજે૧૫ લાખની આવક મેળવી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનાવર્ષ ૨૦૨૨ સુધીમાં દરેક ખેડૂત પરિવારની આવક બમણી કરવાની આકાંક્ષા સેવી રહ્યા છે ત્યારે શ્વેત ક્રાંતિ થકી આર્થિક સધ્ધરતા મેળવવામાં સાર્થક પગલું ભરવાની દિશામાં મહીસાગર જિલ્લાની મહિલાએ પોતાના પરિવારની આવક બમણી કરવા સશક્ત કદમ ભર્યુ છે. જેનુ ઉત્તમ ઉદાહરણ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનાં વેલણવાડા ગામની મહિલા પશુપાલક શ્રીમતી જાગૃતિબેન હસમુખભાઇ પટેલે રાજ્ય સરકારની સ્વ રોજગારની ૧૨ દુધાળા પશુઓની ડેરી યુનિટ સ્થાપના યોજના થકી પશુપાલન દ્વારા આર્થિક સધ્ધરતા સાથે અન્યને પ્રેરણાદાયી બન્યા છેપશુપાલનના વ્યવસાયને ગૌણ વ્યવસાય તરીકે સમજતા પશુપાલકો માટે આજે આ વ્યવસાય આજીવિકાનો મુખ્ય સ્રોત બન્યો છે

પંચામૃત દુધ સંઘ અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક લુણાવાડાના સહયોગથી વેલણવાડા ગામની મહિલા પશુપાલક શ્રીમતીજાગૃતિબેને પટેલે ૧૨ ગાયો સાથે મોટા તબેલાનું સાહસ પણ ખેડયું છે. આ મહિલા પશુપાલકની સિધ્ધિ છે કે પશુપાલન વિભાગની યોજનાનો લાભ લઇને શ્વેત ક્રાંતી થકી પોતાની આવક વૃધ્ધિ કરીને ભારત સરકાર અને પ્રધાનમંત્રીની આકાંક્ષાઓ અને આશાઓ પર ખરા ઊતરવામાં એક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

આ યોજના અંતર્ગત સ્વ રોજગારી હેતુ માટે ૧૨ દુધાળા પશુઓનું ડેરી યુનિટ સ્થાપના યોજના વર્ષ ૨૦૧૮-૧૯ માટે મહીસાગર જીલ્લા પંચાયતના પશુપાલન વિભાગ તથા પંચામૃત દૂધ સંઘ અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક લુણાવાડા દ્વારા રૂા.૭ લાખની લોન મંજુર કરવામાં આવી હતી. જેમાં તેમને કેટલ શેડ, મળેલ લોનની વ્યાજમાં સહાય તથા પશુ વિમો ઉપરાંત ચાફકટર,મિલ્કીંગ મશીન, ફોગર, સહીત યુનીટ સ્થાપનામાં રૂા.૨.૫૦ લાખની સહાય આપવામાં આવી.

પશુપાલન ક્ષેત્રે શ્વેત ક્રાંતિની દિશામાં સાહસ ભર્યુ કદમ ભરતા જાગૃતિબેને ૧૨ ગાયો થકી રોજનુ ૨૫૦ લીટરનું દુધ ઉત્પાદન મેળવી આર્થીક સધ્ધરતા મેળવી છે. દૈનિક ૨૫૦ લીટરના દુધ ઉત્પાદન થી તેમને દર માસે રૂા.૧.૪૦ લાખની આવક મેળવે છે જેમાં અડધા ઉપરાંતની આવકનો ખર્ચ પેટે બાદ કરતા દર માસે ૬૦ હજારથી ૭૦ હજારનો નફો મેળવે છે.

આ અંગે જણાવતાં જાગૃતિબેન કહે છે કે પશુના છાણનો ઉપયોગપોતાના ખેતરમાં સેન્દ્રિય ખાતર કરી ખેતઉત્પાદનમાં પણ વધારો મેળવે છેઅને વધે તે વેચી દે છે જેનાથી પુરક આવક પણ મળે છે. તેઓ પશુઓની સારી રીતે માવજાત કરે છે પશુઓને નિયમિત ખોરાક, પાણી અને રસીકરણ કરાવે છે. ઋતુ પ્રમાણે પશુઓને ખોરાક આપવામાં આવે છે. ખોળ, દાણ, જુવાર અને બાજરીને ચાફ કટરથી કટ કરીને જ પશુઓને આપવામાં આવે છે.

આધુનિક દુધ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરી શ્રમમાં ઘટાડો કરેલ છે. પશુપાલન વિભાગની આ યોજનાનો જાગૃતિબેને તો લાભ મેળવ્યો છે જ પરંતુ તેઓ ગામની અન્ય મહિલાઓને પણ સરકારની આ યોજનાનો લાભ લઇ સ્વનિર્ભર થવા પ્રેરણા પુરી પાડે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!