નાની કડી વિસ્તારમાં શ્રી ઉમિયા ગ્રુપ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
નાની કડી રામજી મંદિર પાસે શ્રી ઉમિયા ગ્રુપ અને આયુર્વેદિક હોસ્પિટલ કડી ના સહયોગ થી લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ તાવ, શરદી, ખાંસી, શ્વાસની તકલીફો તથા સ્વાઈન ફલૂ જેવી ગંભીર બીમારીઓથી રક્ષણ મેળવવા માટે મફત અમૃત પેય આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉકાળા વિતરણ કેમ્પનું આયોજન પ્રદીપભાઈ (જય ભગવાન), ભરતભાઇ, જયકૃષ્ણભાઈ તથા તેમની ટીમના સહયોગ થી શક્ય બન્યું હતું.