પાલનપુરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા અંબાજી જતા પદયાત્રીકો માટે સેવા કેમ્પ
હાલમાં ભાદરવી પૂનમના મહામેળા માટે લોકો પદયાત્રા કરી છેક અંબાજી દર્શનાર્થે જતા હોય છે તેમને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે પાલનપુરમાં ઠેર ઠેર સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે તેવી જ રીતે જય માતાજી મિત્ર મંડળ દ્વારા પાલનપુરમાં આવેલ ગણેશપુરા વિસ્તારમાં સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે આ કેમ્પ વર્ષોથી કરવામાં આવે છે જેમાં દવાઓ, ચા નાસ્તો, શરબત વગેરે અંબાજી જતા પદયાત્રિકો માટે તૈયાર કરવામાં આવે છે આ કેમ્પમાં સ્થાનિક દુકાનદારો પણ વર્ષે વર્ષે સેવાઓ આપે છે.