કોઠાર ગામે રસ્તો બંધ કરવાના મામલે ઝઘડો થતા પાઇપલાઇનને નુકસાન કરતા જાનથી મારી નાખવાની ધમકી પાંચ ઈસમો સામે પોલીસ ફરિયાદ
નાંદોદ તાલુકાના કોઠાર ગામની સીમમાં ખેતરમાં જવાનો રસ્તો બંધ કરવા ના મામલે ઝઘડો થતાં પાઇપલાઇન ને નુકસાન કરતા જાનથી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસ મથકે પાંચ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં ફરિયાદી માનવેન્દ્રસિંહ રઘુબીરસિંગ ગોહેલ (રહે હનુમંતેશ્વર કોઠાર સીમમાં )એ આરોપી કમલેશભાઈ હીરાભાઈ બારીયા, કમલેશભાઈ હીરાભાઈ બારીયા ની પત્ની, લક્ષ્મણભાઈ રમેશભાઈ બારીયા, લક્ષ્મણભાઇ રમેશભાઈ બારીયા ની પત્ની તથા રૂપાબેન રમેશભાઈ બારીયા તમામ (રહે કોઠાર )સામે ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી માનવેન્દ્રસિંહ વડીલોપાર્જિત જમીન કોઠારા પંદરેક એકર જમીન આવેલ હોય જે જમીનની ફરતે આરોપીઓની જમીન આવેલ હોય માનવેન્દ્રસિંહ દ્વારા આરોપીને બે મહિના ઉપર પોતાની માલિકીની જમીન માં થઈને નહી જવા માટે જણાવેલ હતું જેથી માનવેન્દ્રસિંહ સાથે આરોપીઓનું મનદુઃખ ચાલતું હોય ફરિયાદી માનવેન્દ્રસિંહ પોતાના ખેતરમાં આટો મારવા જોતો હતો તે દરમિયાન કમલેશભાઈ તથા તેમની પત્ની જેવો માનવેન્દ્રસિંહના ખેતરમાં જતી પાણીની પાઇપલાઇન વાલવોડ પાસે નુકસાન કરતા હોય માનવેન્દ્રસિંહ તેઓને કહેવા જતા તમારા ખેતરમાં જઈ જવાનો રસ્તો કેમ બંધ કરેલ છે.
તમારી પાર્ટીને નુકસાન કરીએ છીએ અને વધારે ઝઘડો અમારી સાથે કરશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા ફરિયાદી એકલા હોય પોતાના મકાન ઉપર આવી સંજયભાઈ મહેન્દ્રભાઈ રાવલની બનાવની જાણ કરતાં તે દરમિયાન આરોપી કમલેશભાઈ તથા લક્ષ્મણભાઈ તથા તેઓ બંનેની પત્ની તથા રૂપાબેન એકસંપ થઈ આવી અમારા ખેતરમાં જવા આવવા માટે તમે તમારી જમીનમાં થઈને જતા કેમ હેરાન કરો છો. તેમ જણાવી ગાળો બોલી જમીન છોડીને જતા રહો નહીં તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ઝઘડો કરી ગડદાપાટુનો માર મારી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયેશ ગાંધી, રાજપીપળા