ક્વોલિટી ફૂડના ધજાગરા ઉડ્યા… દુકાનના વડાપાંઉમાંથી મોટી ઈયળ નીકળી
સુરત,
છેલ્લાં કેટલાક સમયથી બહારના ફૂડમાંથી જીવાતો નીકળવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. જેનો સીધો અર્થ એ થાય છે કે, ગ્રાહકોને રૂપિયા ખર્ચવા છતા પણ ક્વોલિટી ફૂડ મળતુ નથી. ત્યારે સુરતના રૂસ્તમપુરા વિસ્તારની આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં વૈશાલી વડાપાંઉની દુકાનમાંથી ખરીદાયેલા વડાપાંઉમાંથી જીવાત નીકળી હતી. મોડી સાંજથી સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના રૂસ્તમપુરામાં વિસ્તારમાં વૈશાલી વડાપાઉ નામની એક દુકાન આવેલી છે.
આ દુકાનનો એક વીડિયો વાયરલ થયો છે. આ દુકાનમાં વડાના પરતમાંથી જીવાત નીકળી હતી. ગ્રાહકે વડાપાંઉનો ઓર્ડર કરી મંગાવતા હકીકત આવી સામે હતી. વડામાંથી તળાયેલી ઇયળ મળી આવી હતી. ત્યારે ફૂડ સેફ્ટીને લઇ થતી મોટી વાતોની હવા નીકળી છે. મોડી સાંજથી સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં રેસ્ટોરન્ટ્સની મોટી બ્રાન્ડ્સમાં ફૂડ સેફ્ટીને લઈને અનેક સવાલો ઉભા થયા છે.