હિંમતનગર ખાતે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ થશે
મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ અંતર્ગત આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવતીકાલ તા. ૨/૧૦/૨૦૧૯, બુધવારના સવારે ૯-૦૦ કલાકે મોતીપુરા સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરી શ્રમદાન કરશે, બાદમાં ટાઉન હોલ ખાતે સફાઇ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત ગોકુલ નગર ખાતે જિમેનેશીયમનું લોકાપર્ણ કરી બળવંતપુરાની કન્યા છાત્રાલયની મુલાકાત લેશે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા