સરકાર પ્રજાને ડરમાં રાખવા માગે છે કે શું…? ગુનેખોરોનું જાહેરમા સ્વાગત કેમ…?
રાજ્યભરમાં જે પ્રકારે ગુનાખોરીની ઘટનાઓ બની રહી છે… અને તેમાં પણ જ્યારે રાજ્યના જવાબદાર મહાનુભાવ ગુનેગારનું સન્માન કરે છે ત્યારે ગુનેગારને માટે દાદાગીરી કે લુખ્ખાગીરી કરવાનું મોકળુ મેદાન બની જાય છે…..!! અને તે સાથે આમ પ્રજામાં ડર પેસી જાય છે… ત્યારે સવાલ એ ઉઠે છે કે શું ગુજરાત બિહારના માર્ગે જઈ રÌš છે… કે પછી રાજ્ય સરકાર જ પ્રજામાં ડરનો માહોલ ઉભો કરવા માગે છે….??! આવો સવાલ આમ લોકોમા ઉઠવા પામ્યો છે… તે સાથે લોકોમાં આક્રોશ પણ ફરી વળ્યો છે.
કેન્દ્ર સરકાર દેશમાં એક પછી એક એવા પગલાં ભરી રહી છે કે જેના કારણે પ્રજાને બેન્કો પર વિશ્વાસ નથી રહ્યો… તો જે સેવાઓ બંધારણમા આમ પ્રજાના હિત માટે પ્રજાના પૈસે ઊભી કરી હતી.. તેવી સેવાઓનું સરકાર ખાનગીકરણ કરવાનું શરૂ કરી દીધુ છે… રોજગારી મળતી નથી…બેરોજગારી વધી છે… તો બીજી તરફ પાકિસ્તાન- કાશ્મીરના મુદ્દે આમ પ્રજાને ચિંતામાં મૂકી દીધી છે…! ત્યારે જ આતંકવાદીઓ દેશમાં ઘુસ્યા હોવાના સમાચારે આમ પ્રજામાં ગભરાટ ફેલાવી દીધો છે…
મતલબ પ્રજાને ડરના માહોલમા રાખી સત્તાધારીઓ સત્તા ટકાવી રાખવા માંગે છે તેવો માહોલ ચારે તરફ ફરી વળ્યો છે….!! અને આ ડરમા રાજ્ય સરકાર અને તંત્રએ ઉમેરો કર્યો છે….! કેમ કે કાલે જે રીતે માથાભારે ગણાતા અને ખુલ્લેઆમ દાદાગીરી કરતા એવા ભાજપના સભ્યનુ આપણા રાજ્યના ગૃહ મંત્રી કે જેવો સૌમ્ય વ્યÂક્ત ગણાય છે તેમના હસ્તે સ્વાગત થયું… જેના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં પડ્યા છે. ત્યારે સરકાર સામાન્ય પ્રજાને ડરમા રાખવા માંગે છે કે શુ…..?તેવો પ્રશ્ન ચારે તરફ ઉઠવા પામ્યો છે….
તાજેતરમાં અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂ મળે છે અને ઘેર ઘેર પીવાય છે તેવા નિવેદન સામે આપણા મુખ્યમંત્રી રૂપાણીજીએ આકરા પાણીએ જવાબ આપવા સાથે કહ્યું કે આ ગુજરાતનું અપમાન છે… આ અંગે સામસામે દારૂ અંગે આહ્વાન થયું… અને આવા જ સમયે મહેસાણા પોલીસે રૂપિયા ૨ લાખનો વિદેશી દારૂ પકડી પાડ્યો… તો અન્ય વિસ્તારોમાંથી પણ સતત દેશી વિદેશી દારૂ ઝડપી રહી છે. જેના રોજબરોજ સમાચારો આવતા જ રહે છે… ત્યારેજ બે દિવસ પહેલા છોટાઉદેપુરના એસટી બસના ડ્રાઇવર-કંડકટર નશાની હાલતમાં મુસાફરો ભરેલી બસને વડોદરાના બદલે રાજપીપળા પહોંચાડી દીધી હતી. હવે આને શું કહેશો….?
તો બીજી તરફ જાેઈએ તો વર્ષ ૨૦૧૭- ૧૮ અને ૨૦૧૮- ૧૯ના વર્ષમાં રાજ્યભરના ૩૩ જિલ્લામાંથી ૧૨૯૫૦૪૬૩ વિદેશી દારૂની બોટલ, ૧૭૩૪૭૯૨ બોટલ બિયર અને ૧૫૪૦૪૫૪ લિટર દેશી દારૂ પકડાયો હતો… અને આપણે શું કહીશું….? જા આટલો બધો દારૂ પકડાતો હોય તો તેનો અર્થ શું….? સરકાર-તંત્ર ધારે તો દારૂના ધંધાર્થીઓને ધંધા કરતા બંધ ના કરી શકે…?! પણ દારૂનો ધંધો બંધ ન થવા પાછળ અનેક કારણો છે જેમાં ધંધો બંધ થાય તો ગુનાખોરી વધવાનો સરકારને ડર છે…! તો પછી જે લોકોને હપ્તા મળે છે તે પણ બંધ થઈ જાય તે હકીકત છે…..!!
તાજેતરમાં ગત અઠવાડિયે અમરાઈવાડી વિસ્તારમાં બુટલેગરોએ પોલીસની ધોલાઈ કરી નાખી. જ્યારે ગઈકાલે બુટલેગરોએ પોલીસ ઉપર ખૂની હુમલો કરી બેને લોહી લુહાણ કરી નાખ્યા. અને માર મારવાની ઘટનાઓ દરરોજ બનતી રહે છે…આવી ઘટનાઓ બનવા પાછળ ગુનેગારોને પ્રોત્સાહન આપવુ તે છે… બે દિવસ પહેલાજ જુનાગઢ વિસ્તારમાં પોલીસ ગુનેગારોની ધરપકડ કરવા ગઈ તો ત્યાંના કોર્પોરેટરે પોલીસનો જ ઉધડો લઇ લીધો કે મને પૂછ્યા વગર અમારા વિસ્તારમાં કેમ આવ્યા કહીને હોહા મચાવી દીધી હતી.
જેનો વીડીયો લાઈવ થયો હતો… આનો અર્થ શું…? મતલબ પ્રજાને ડરમાં રાખવાનો છે….!! નહીતો પોલીસ તંત્ર અને રાજકારણીઓની- સત્તાધારીઓની ઇચ્છાશક્તિ હોય તો ગુનાખોરી તદ્દન અટકી જાય. ત્યારે હવે કોઈ ગુનેગાર કે માથાભારે વ્યક્તિનુ જાહેરમા સ્વાગત રાજકીય હસ્તીઓ ન કરે.. જે તેઓનીજ ભલાઈ માટે છે…. નહિ તો સમય આવ્યે આવા ગુનેગારો તમારી સાથે કેવું વર્તન કરશે એ તો સમય જ કહેશે…..!!
(જી.એન.એસ, હર્ષદ કામદાર)