રાષ્ટ્રીય મુસ્લિમ મહાસભા દ્વારા ૧૪૨મી મુસ્લિમ સમાજ ચિંતન શિબિરનું આયોજન
શકીલ સંધીનું ખંભાળિયાંના પત્રકાર મુસ્તાક સોઢા દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો અને જાણવા મળ્યું કે જનાબ શકીલ સંધી મુસ્લિમ સમાજની પ્રગતિ માં અવરોધ રૂપ સમસ્યાઓ કઈ કઈ છે અને તેના સમાધાન માટે સમાજના બુદ્ધિશાળી વર્ગ અને યુવાવર્ગે હવે કઈ દિશામાં આગળ વધી સમાજને શિક્ષિત સમૃદ્ધ રોજગાર યુક્ત વ્યસનમુક્ત સમાજના નિર્માણ માં મહત્વનું યોગદાન આપી આગળ વધવા માટે એક પ્લેટફોર્મ ઉભું કરવાની ખાસ જરૂર છે..! સાથે સાથે સમાજના પડતર પ્રશ્નો ને વાચા આપી સમાજમાં થી કુરિવાજો નાબૂદ કરવાના પ્રયાસોને વેગ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ અને અમુક ચોક્કસ દિશામાં આગળ વધવા ખોટાં ખર્ચ ઉપર પણ કાપ મુકવાની ખાસ જરૂર છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે મુસ્લિમ સમાજ ગુજરાતની સાથે દેશના દરેક રાજ્યમાં મુખ્યધારા થી વંચીત સમુદાયમાં તો ઠીક પણ વંચીતમાં પણ વંચીત સમાજની કેટેગરીમાં મુકાઈ ગયો છે… તેના પાછળ ક્યાં પરિબળો જવાબદાર છે તેની પણ જમીન લેવલપર ટ્રીટમેન જરૂરી છે…. તેમનો મુખ્ય હેતુ સમાજને કોઈપણ સંજોગોમાં મુખ્યધારામાં લાવી અને એક સુખી સમૃદ્ધ શિક્ષિત અને સક્ષમ સમાજમાં મુસ્લિમ સમાજની પણ ગણના થાય તેવા ભગીરથ પ્રયાસો કરવામાં આવે તેવી આશા વક્ત કરવામાં આવી હતી સાથે સરકારી યોજનાઓના લાભથી પણ અમુક ચોક્કસ પ્રકારની જાણકારીના હોવાને કારણે પણ સમાજ ઘણી બધી યોજનાઓથી પણ વંચીત રહે છે તેના માટે પણ આગામી સમયમાં યોગ્ય જાણકારી મેળવી નાનામાં નાના ગામ અને છેવાડાના માનવી સુધી નાંની શિબિરો નું આયોજન કરી આયોજન બંધ સરકારી યોજનાઓની જાણકારી આપીને પણ સમાજને તેનો લાભ મળે તેવા કર્યો અમારી ટિમ દ્વારા કરવામાં આવશે તેવું શકીલ સંધી એ જણાવ્યું હતું.