નેત્રંગ પો.સ્ટેશનમાં જીલ્લા પોલીસ વડાની હાજરીમાં લોક દરબાર યોજાયો
– પોલીસતંત્રની કામગીરી તપાસણી સહિત સુરક્ષા-વ્યવસ્થા માટે પોલીસ હરહંમેશ ખડેપગે તૈયાર :- એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ પો.સ્ટેશનમાં કામગીરી તપાસણી અને પોલીસતંત્રની કામગીરી નિરીક્ષણ માટે ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લીધી હતી. જેમાં પીએસઆઈ કે.ડી.જાટ સહિત પો.કમૅચારીઓએ સલામી આપ્યા બાદ જરૂરી ખાતાકીય કાયૅવાહીનું નિરીક્ષણ કયુૅ હતું,અને ત્યારબાદ લોક દરબાર યોજાયો હતો. જેમાં તાલુકાભરના ગામે-ગામના સરપંચો, રાજકીય-સહકારી આગેવાનો, ખેડુતો સહિત આમ લોકો જોડાયા હતા. જેમાં ટ્રાફિક, ૨૧ ગામોને નેત્રંગ પો.સ્ટેશનના કાયૅવિસ્તારમાં સમાવેશ કરવા સહિતના કેટલાક જરૂરી મુદ્દા ઉપર ચચૉ થઇ હતી. જ્યારે ભરૂચ અને નેત્રંગ પોલીસ હરહંમેશ લોકોની સુરક્ષા માટે તૈયાર છે તેવું જણાવ્યું હતું, જ્યારે પીએસઆઇ કે. ડી. જાટે સૌનો આભાર માન્યો હતો.
ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ