નોકરી વાચ્છીત યુવાધન ૬ બેઠકોની પેટા ચૂંટણી મેદાનમાં ઉતરી જાય તો…..!!?
ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે બે દિવસ પહેલા સરકાર દ્વારા આમ યુવાધન સાથે એવી મજાક કરી કે તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે. નોકરી વાંચ્છુ યુવાધન ઉમેદવારોનુ એક ટોળુ કર્મયોગી કલ્યાણ ભવન ખાતે આવેલ ગૌણ પસંદગી સેવાની ઓફિસમાં ઘુસી જઇને ભારે બઘડાટી બોલાવી દીધી. જ્યા અધ્યક્ષ અસિત વોરાનેજ ખબર ન હતી તે પરીક્ષા કોણે રદ કરી. તેમણે પોતે જ કÌšં કે પરીક્ષાઓ કોને રદ કરી તેની મને ખબર જ નથી…..! કદાચ સરકારે રદ કરી હોય અને ઉમેદવારો રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ પાસે પહોંચી ગયા. તેઓએ પણ પોતે આ અંગે કશું જાણતા નથી એવું કહીને હાથ ખંખેરી નાખ્યા અને કÌšં કે આ તો વહીવટી શાખાના હાથમાં છે. ટૂંકમાં બાય બાય ચારણીની જેવો ખેલ કરીને ૧૦ લાખ ઉપરાંત યુવાધનની સાથે મોટો ખેલ પાડી દેવામાં આવ્યો……! જે એક જાતની મજાક જેવું જ છે. કદાચ સરકારની ગણતરી હશે કે ઉમેદવારો કોર્ટમાં જાય તો સરકારનું ટેન્શન જતું રહેશે.. ટૂંકમાં ભરતી માટે સરકારે શિક્ષિત યુવાનો સામે નોકરીનું ગાજર આપમેળે જ ખરી પડે…..! સરકારી નોકરી વાંચ્છીતો ૧૦ લાખથી વધુ છેલ્લા દોઢેક વર્ષથી મહેનત કરી રહ્યા હતા. અને પ્રત્યેક ઉમેદવારે અરજી કરવા રૂપિયા ૭૦ થી ૮૦ નો ખર્ચ કર્યો હતો. તો પ્રથમ વાર ઈન્ટર્વ્યુ માટે જે તારીખ જાહેર થઈ તે સમયે અનેક ઉમેદવાર આવી પહોંચ્યા હતા પરંતુ વરસાદને કારણે રદ થતા યુવાધન સરકાર પર વિશ્વાસ રાખી આશા- અપેક્ષા સાથે પરત ગયા હતા તો પૂનઃ તારીખ જાહેર કરીને ઇન્ટર્વ્યુ બંધ રાખ્યા પણ પછીથી પ્રથમ નક્કી કરેલ નીતિમા ફેરફાર કરી માત્ર ગ્રેજ્યુએટ થયેલા માટે નોકરીઓ નક્કી કરતા યુવાધનમાં આક્રોશ ફેલાયો હતો. ત્યારે સરકારને એક સવાલ છે કે યુવાધન વિધાનસભાની ૬ બેઠકોની યોજાનારી પેટા ચૂંટણી જંગના મેદાનમા ઉતરી પડે તો શુ Âસ્થતી ઊભી થાય્…..?!
મુખ્યમંત્રીશ્રી રૂપાણીજી, આ યુવાધનને નોકરીની લાલચ અને એ પણ ધોરણ ૧૨ અભ્યાસ હોય તેમના માટેની જ કોણે આપી હતી…? અને આ લાલચ આપ્યા પછી ત્રણ વાર ઈન્ટર્વ્યુ રદ કરવામા આવે આને શું કહેવાય…..? અરે એ તો ઠીક ઉમેદવારોની સંખ્યા ઘટી જાય તે માટે માત્ર ગ્રેજ્યુએટો માટેજ ઇન્ટરવ્યુ કોના કહેવાથી… અને શા માટે… તેમજ કયા કારણોથી બદલ્યો…? તેનો જવાબ આપવાની જવાબદારી સરકારની છે. કારણ કે રાજ્યના લોકો જે ધારાસભ્યને ચૂટે છે તેના ઉપર લોકોને….. વિશ્વાસ હોય છે… તો પ્રજાના વિવિધ ટેક્સના પૈસા તેઓનો અધધ પગાર-ભથ્થા
આભાર – નિહારીકા રવિયા સહિતના લાભો મળતા હોય છે ત્યારે તેઓની જવાબદારી છે કે પ્રજાના પક્ષે રહીને તેમણે સરકારના વડાઓને રજૂઆત કરવી જાઈએ. પણ અહીં તો ચૂંટાયેલા ધારાસભ્યો પ્રજાને નહિ પણ પક્ષને વફાદાર રહીને કામ કરે છે અને ધારાસભ્ય પદ પર હોય ત્યાં સુધી રૂપિયા એક લાખનો પગાર ઉપરાંત અન્ય ભથ્થા વગેરે મળે છે તો હારે કે પછી પક્ષ ટિકિટ ન આપે તો દર મહિને બેઠા બેઠા રૂપિયા ૫૦ હજાર પેન્શન મળે છે…. અને આ જ કારણે ધારાસભ્યો પ્રજાને ગણકારતા નથી કે પછી હાજી હાજી કરતા રહે છે….. તેમને તો વર મરો કન્યા મરો પણ તરભાણું ભરોની જેમ…. પ્રજા જાય ખાડામાં….. આપણે શું…..? રૂપાણીજી, આ યુવાધનની નોકરી પ્રશ્ને ધ્યાન આપે તે અતિ જરૂરી છે…. કદાચ આ યુવાધન પેટાચૂંટણીના ચૂંટણી મેદાનમાં આવી જાય તો શું થાય….? જે આપ સમજી શકો છો….!