નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકોની તાલીમ શિબિરનું સમાપન
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત ચાલતા નહેરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા નવી નિમણૂક પામેલ રાષ્ટ્રીય યુવા સ્વયં સેવકોનુ ઉનમુખીકરણ તાલીમ શિબિર આયોજન તારીખ 1-10 -2019 થી 15 -10 -2019 સુધી SBI-RSETI રાજકોટ ખાતે કરવામાં આવેલ હતું. ઉપર્યુક્ત તાલીમ શિબિરમાં રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 40 જેટલા યુવકો યુવતીઓ ભાગ લીધો હતો. આ શિબિર દરમ્યાન સ્વયંસેવકોએ શું કામગીરી કરવાની રહેશે તે અને અન્ય જીવન કૌશલ્ય માટે નું જ્ઞાન આપવામાં આવ્યું હતું.
આ શિબિરના આજરોજ સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ શ્રી સીમાબેન જોશી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રી વિજયભાઈ દેસાણી ઉપસ્થિત રહ્યા હતા તાલીમ શિબિરનુ સફળ આયોજન પાછળ નહેરુ યુવા કેન્દ્ર રાજકોટના DYC સચિન પાલ, રાહુલભાઇ જોશી, રાજેશ રાઠોડ નુ સફળ માર્ગદર્શન પ્રાપ્ત થયેલ હતું તેમજ નહેરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવકો એશ્વર્યા નિમાવત, યસ રાઠોડ જીત વાછાણી અને ચેતન વાગડિયા નૂ પણ યોગદાન રહેલ હતું.