હિંમતનગર – અમદાવાદ વચ્ચે બ્રોડગેજ રેલવે સેવાનો શુભારંભ
સાબરકાંઠા – અરવલ્લી જિલ્લાના સર્વાંગીણ વિકાસ માટે અને બંને જિલ્લા ના અમદાવાદ સાથે વ્યાપારિક કે સામાજિક સંબંધો ધરાવનાર નાગરિકો માટે અનહદ ખુશીના સમાચાર છે આજે સાંસદ માન.શ્રી દિપસિંહ રાઠોડ ના વરદ હસ્તે અને માન. શ્રી રાજુભાઇ ચાવડા, માન. શ્રી હિતુભાઈ કનોડિયા, માન. શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, માન. શ્રી તખતસિંહ હડિયોલ, માન શ્રી અશોકભાઈ જોષી, માન શ્રી મહેશભાઈ પટેલ, માન શ્રી વી. ડી . ઝાલા, મહેન્દ્રસિંહ રહેવર તેમજ હિંમતનગર શહેરના કોર્પોરેટર, વડાલી નગરપાલિકાના કોર્પોરેટ શ્રી સાબરકાંઠા ભાજપા કાર્યર્તાઓ અને જિલ્લાના નાગરિકોની વિશેષ ઉપસ્થિતમાં જેની ચાતક નજરે રાહ જોવાઇ રહી હતી તે હિંમતનગર – અમદાવાદ વચ્ચે બ્રોડગેજ રેલવે સેવાનો આજે શુભારંભ થયો.
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)