ખેરોજ પોલીસે છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીઓને ઝડપ્યા
સાબરકાંઠા-જીલ્લાના પોલીસ વડા શ્રી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક સાહેબ એ સાબરકાંઠા-જિલ્લામા નાસતા-ફરતા પકડવાના બાકી આરોપીઓને પકડી પાડવા અંગેની ડ્રાઇવ રાખેલી છે જે આધારે ઈડર વિભાગના ના.પો.અધિ.સા. શ્રી ડી.એમ.ચૌહાણ એ નાસતા-ફરતા આરોપી પકડવા અંગે સુચના તથા માર્ગદશન આપલુ જે આધારે આજરોજ ખેરોજ પીઆઈને ખાનગી રાહે બાતમી મળેલ કે ખેરોજ પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર. નંબર-૫૦૫૮/૨૦૧૯ પ્રોહી ક. ૬૫એ ઇ, ૧૧૬ બી, ૯૮ (૨), ૮૧, ૮૩ મુજબના કામના નાસતા-ફરતા આરોપી (૧) ઉચિત ઉર્ફે ઉસ્માન સંજયભાઇ ઉપાધ્યાય ઉ.વ.૨૪ રહે. અવધપાર્ક,ઘર નંબર-૪, મારૂતીનગર, મહાવીરનગર, હાલ રહે.ઘર નંબર-૪, બીજા માળે, કર્ણાવતી ન્યુટેનામેન્ટ, બેરણારોડ, હિંમતનગર,જી.સાબરકાંઠા (૨) જીતેન્દ્રસિંહ વિક્રમસિંહ પઢીયાર ઉ.વ.૨૭ રહે.૧૦, રહે. અમીપાર્ક સોસાયટી, ગાયત્રી મંદિર રોડ, મહાવીરનગર, હિંમતનગર, જી.સાબરકાંઠા મુળ રહે. જામળા તા.હિંમતનગર, જી.સાબરકાંઠાવાળાઓ ખેડબ્રહ્મા બસસ્ટેન્ડ પાસે ઉભા હોવાની હકિકત મળતાં જે બાતમી આધારે ખેરોજ પોલીસ ટીમના માણસો સાથે ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ પાસે જઇ વોચ રાખી ઉપરોકત આરોપીઓને કોર્ડન કરી પકડી પાડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ ખેરોજ પી.આઈ. શ્રી એચ. એસ. ત્રિવેદીએ હાથ ધરી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)