ધારીખેડા-અકુવાડા ખાતે આદિવાસી યુવા ગ્રુપ દ્વારા જનનાયક બિરસા મુંડાની ૧૪૪મી જન્મજયંતિ મહોત્સવ

ધારીખેડા-અકુવાડા ખાતે આદિવાસી યુવા ગ્રુપ દ્વારા જનનાયક બિરસા મુંડાની ૧૪૪મી જન્મજયંતિ મહોત્સવ
Spread the love

આગામી ૧૫ નવેમ્બરના રોજ નર્મદા જિલ્લાના ધારીખેડા ખાતે ડો પ્રફુલ વસાવા ની ઉપસ્થિતિમાં  જનનાયક બિરસા મુંડા ની ૧૪૪મી જન્મજયંતિ મહોત્સવનું આયોજન ધારીખેડા- અકુવાડા આદિવાસી યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે.  બિરસા મુંડાની ઝારખંડ રાજ્ય મા આજે પણ આદિવાસી ભગવાનની જેમ પુજા કરે છે. બિરસા મુંડા એ આદિવાસીઓને એક કર્યા હતા. અંગ્રેજાે અને જમીનદારો, સાહુકારો દ્રારા થતાં અત્યાચાર સામે બિરસા મુંડા નીડરતાથી લડયા અને દેશ માટે શહિદ થયા હતા. ત્યારે નર્મદા જિલ્લામા આદિવાસી યુવા ગ્રુપ  ધારીખેડા – અકુવાડા દ્વારા  જનનાયક બિરસા મુંડાની ૧૪૪મી જન્મજયંતિ ગર્વભેર ઉજવાશે.  જેમાં ૧૫મી નવેમ્બરે ધારી઼ખેડાના અકુવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧ કલાકેજયનાયક બિરસા મુંડા જન્મજયંતિ મહોત્સવનો કાર્યક્રમ યોજાશે.જેની તડામાર તૈયારી થઈ રહી છે 

રિપોર્ટ :જ્યોતિ જગતાપ (રાજપીપલા)

Admin

Admin

9909969099
Right Click Disabled!