ભેસાણ તાલુકાના રાણપુર પ્રા.આ.કેન્દ્ર ખાતે વય નિવૃતિ વિદાય સમારંભ
ભેસાણ તાલુકાના રાણપુર પ્રા.આ.કેન્દ્ર ખાતે વય નિવૃતિ વિદાય સમારંભ યોજાઈ ગયો. જેમા વજુભાઈ સી.ગોહેલ વય મર્યાદા પુરી થતા તેમને THO ડો.પુજા પ્રિયદર્શની દ્વારા ભારતીય સંસ્કૃતી મુજબ શ્રીફળ અને સાકર તથા મોમેન્ટો આપી વિદાય આપવામા આવી હતી આ પ્રસંગે બોલતા ડો.પુજા મેડમે તેમની કામગીરી ને બીરદાવી હતી અને હવે પછીની લાઈફ સુખમય,નિરોગી નિવડે તથા દીર્ઘ આયુષ્ય માટે કામના કરી હતી તથા મે.ઓ.ડો.શમા સાહેબ પણ વજુભાઈને મોમેન્ટો આપી તેની કામગીરી ને બીરદાવી હતી.
હવે પછીનું જીવન સુખમય, નિરોગી અને હર્ષોલ્લાસ સાથે વિતે તેવી પરવર દિગારને બંદગી કરવામાં આવી હતી. આ સિવાય બદલી પામેલ કર્મચારીશ્રી આશિષ પરમાર MPHW વાંદરવડ તથા ઉચ્ચ અભ્યાસ માં પ્રવેશ મળતા કુ.ઉર્વશી એચ.માલવીયા FHW ચણાકાને પણ મોમેન્ટો આપી વિદાય આપવામા આવી હતી અને હવે પછીનાં નોકરીના સ્થળે સરકારના આરોગ્ય લક્ષી તમામ કાર્યક્રમોને પુરી નિષ્ઠાપૂર્વક કરવા સાથે અભિનંદન પાઠવવામાં આવે લ. આ પ્રસંગે ડો.ટાંક સાહેબ, ઉંધાડભાઇ, કંચનબેન,પાઘડાળભાઇ, હરેશભાઈ, રેખાબેન, મુકતાબેન, વિઝુંડાબેન, મેમુદાબેન, રશ્મિ બેન, અલ્પાબેન તથા અનમોલબેન ઉપસ્થિત રહયા હતા..
રસિક વેગડા (મોટીકુકાવાવ)