નર્મદાના 84 જેટલા મહેસૂલી કર્મચારીઓ 9 ડિસેમ્બરે પડતર માંગણીઓ સંદર્ભમાં હડતાળ પર જશે
- 9મીએ કર્મચારીઓ રેલી કાઢી આવેદન આપશે
- નર્મદાના કર્મચારીઓ મહેસૂલ વિભાગની તમામ કામગીરીનો બહિષ્કાર કરશે
- 8મી એ જીપીએસસીની પરીક્ષાનું પણ બહિષ્કાર કરશે
રાજપીપળા,
નર્મદા જિલ્લાના 84 જેટલા મહેસૂલી કર્મચારીઓ 9 મી ડિસેમ્બરે તેમની પડતર માંગણીઓના સંદર્ભમાં હડતાળ પર જશે. જેમાં પાંચ તાલુકાઓમાં આવેલી મામલતદાર કચેરી, રાજપીપળા અને ડેડીયાપાડાની પ્રાંત કચેરી અને રાજપીપળા કલેકટર કચેરીમાં કામ કરતા નાયબ મામલતદાર અને કારકુનો કુલ 84 જેટલા કર્મચારીઓ 9 મીથી હડતાલ પર ઉતરશે અને આ મહેસૂલી કર્મચારીઓ, તમામ મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરશે. તેમજ 9 મીએ કર્મચારીઓ રેલી કાઢી કલેક્ટરને આવેદન આપશે એટલું જ નહીં 8 મીએ યોજાનારી જીપીસીસીની પરીક્ષાના કાર્યક્રમનો બહિષ્કાર પડશે.
આ અંગે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારીના પ્રમુખે મુખ્યમંત્રી, નાયાબ મુખ્યમંત્રી,મહેસુલ મંત્રી, મુખ્ય સચિવ તથા અધિક મુખ્ય સચિવ(મહેસૂલ )અને મહેસુલી કર્મચારીઓની પડતર માંગણીઓ બાબતે અન્ય વિભાગની કામગીરીનો બહિષ્કાર કરવા બાબતે પત્ર લખી હડતાલની જાહેરાત કરી છે. તે મુજબ ગત તા. 16/ 8 /19 ના રોજ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા મુદ્દા 1 થી 17 ની માંગણીઓ પરત્વે રજૂઆત કરેલ. ગત તા.16/ 8/ 19 ના રોજ માં મુખ્ય સચિવ મહેસુલ સાથે મુલાકાત દરમિયાન અમારા મુદ્દાઓ પ્રત્યે હકારાત્મક વલણ દાખવી સત્વરે નિકાલ કરવા ખાત્રી આપેલ.
આ મુદ્દાઓ પૈકી કે આજદિન સુધી એક પણ મ મુદ્દા નો નિકાલ થયેલ નથી આ બાબતે મહેસુલ મંત્રી ની મુલાકાત લીધેલ પણ કોઈ હાલ આવેલ નથી, જેથી અમારી માંગણીઓ નિકાલ ન થાય ત્યાં સુધી અને મહામંડળને થયેલ અપમાનની સામે આગામી તા. 9 /12/2019 ના રોજથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવેલ છે. તેમજ મહેસૂલી કામગીરી ઉપરાંત ની કોઈપણ પ્રકારની કામગીરીનો બહિષ્કાર કરેલ હોવાનું ખાસ કરીને આગામી તા. 8/12/ 2019 ના રોજ લેવાનાર જીપીએસસી ની પરીક્ષા નો પણ બહિષ્કાર કરવાનું જણાવેલ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા