હૈદરાબાદની બળાત્કારની ઘટના પછી નર્મદાવાસીઓમાં ભારે રોષ
- મીડિયામાં લોકોએ રોષ વ્યક્ત કર્યો.
- નરાધમને તેલંગાણા પોલીસની ચારેય આરોપીઓને એન્કાઉન્ટર કરી આકરી સજા કરતા લોકોએ પોલીસના આ નિર્ણયને આવકાર્યા.
- ક્યાં સુધી મીણબત્તીઓ સળગાવી કરીશું ? નર્મદા વાદીઓમાં રોષ ?
હૈદરાબાદની બળાત્કારની ઘટના પછી નર્મદા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો ખાસ કરીને સોશિયલ મીડિયામાં લોકોએ રોષ વ્યક્ત કરીએ નરાધમોને આકરી સજા કરવાની માંગ કરી હતી હૈદરાબાદની બળાત્કારની ઘટના પછી સમાજનો દંભી ચહેરો ફરી એક વખત સામે આવ્યો છે દેશમાં દરરોજ ક્યાંકને ક્યાંક લાચાર નારી દેવો અમાનુષી અત્યાચાર અને બળાત્કારનો ભોગ બનતી રહે છે.
તેમાંથી કેટલીક માસૂમ બાળાઓ અને યુવતીઓ માટે આપણે આંસુ સારી આપે કેટલા બનાવોમાં આપને મીણબત્તીઓ સળગાવી તેનો હિસાબ એક વખત બધાને નિરાંતે કરવા જેવો છે. જો ગઈકાલે નરાધમોને તેલંગાના પોલીસે ચારેય આરોપીઓને એન્કાઉન્ટર કરી આકરી સજા કરતા લોકોએ પોલીસના નિર્ણયને આવકાર્યો હતો. પીડિતાને જીવતી સળગાવી દેવાના હીન કૃત્ય સામે ભારે રોષ વ્યક્ત કરી આ કૃત્યો કરનારા અને કડકમાં કડકમાં સજા જણાવ્યું હતું.
દેશમાં દરરોજ ક્યાંકને ક્યાંક લાચાર નારીદેહો અમાનુષી અત્યાચાર અને બળાત્કારનો ભોગ બનતી રહે છે તેમાંથી કેટલીક માસૂમ બાળાઓ અને યુવતીઓ માટે આપણે આંસુ સાર્યા કે કેટલા બનાવવામાં આપણે મીણબત્તીઓ સળગાવી તેનો હિસાબ એક વખત નિરાંતે કરવા જેવો છે. સ્ત્રીઓ સદીઓથી શોષણની ભોગ બનતી આવી છે, બળાત્કારો એમ અટકશે નહીં શકે મહિલાઓએ પોતે જ સશક્ત બનવું પડશે, જોખમોથી સાવચેત રહેતા જોગણી જોખમોથી દૂર રહેતા શીખવું પડશે જેવા વિચારો લોકોએ રજૂ કર્યા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)