જામનગર : ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૬નાં કરૂણ મોત, ૨ ગંભીર
જામનગર,
કાલવડથી ૧૫થી ૨૦ કિલોમીટર દૂર ધોરાજી તરફ જતા હાઇવે પર આવેલા ભાવુભાના ખીજડીયા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા છના મોત નીપજ્યા છે અને ત્રણને ગંભીર ઇજા પહોંચી છે. બનાવના પગલે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. આ અંગે જામનગર એસપીએ જણાવ્યું હતું કે, છના મોત છે અને બે ઘાયલ છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જામકંડોરણા હોÂસ્પટલ ખસેડાયા છે.
અકસ્માતમાં કમકમાટીભર્યા પાંચના મોત નીપજ્યા છે તે તમામ જામનગરના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. આ ગમખ્વાર અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકો કારનું પડીકું વળી ગયું હતું. રસ્તા પર લોહીના ખાબોચીયા ભરાય ગયા હતા. આ ઘટનાથી આસપાસના ગામલોકો દોડી આવી ઇકો કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસ આવી વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.