ACS અરવિંદ અગ્રવાલની નાણાં વિભાગમાંથી GSFCના એમ.ડી. તરીકે બદલી
અમદાવાદ,
શુક્રવારે રાજ્ય સરકારે ૧૯૮૬ની બેચના આઈએએસ અધિકારી અરવિંદ અગ્રવાલની રાજ્યના નાણાં વિભાગમાંથી જીએસએફસીના એમ.ડી. અને ચેરમેન તરીકે વડોદરા ખાતે તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે. રાજ્યના મુખ્ય સચિવ બનવાની રેસમાં રહેલા એડિશનલ ચીફ સેક્રેટરી અરવિંદ અગ્રવાલને બદલે અનિલ મુકીમને ચીફ સેક્રેટરી બનાવતા અરવિંદ અગ્રવાલ છેલ્લા કેટલાક દિવસથી રજા પર ઉતરી ગયા હતા.