તિલકવાડા તાલુકાના પુછપુરા ગામે પત્નીની કરપીણા હત્યા કરતો પતિ

Spread the love
  • જમવાના બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડામાં પતિએ પત્નીને ગુસ્સામાં કુહાડી વડે જીવલેણ હુમલો કરી પત્નીને મોતને ઘાટ ઉતારતાં ચકચાર.
  • પત્નીનુંઘટનાસ્થળ પર જ મોત.

રાજપીપળા,

તિલકવાડા તાલુકાના પુછપુરા ગામે જમવાના નજીવી બાબતે ઝઘડામાં પત્નીને માથામાં કુહાડી મારી પત્નીની કરપીણ હત્યા કરવાના ચકચારી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ રાજુભાઈ શનાભાઈ ભીલ ( રહે ગંભીરપુરા હાલ રહે પુછપુરા) એ આરોપી વિજયભાઈ કરસનભાઈ ભીલ (રહે નસવાડી વાલપુરા) સામે ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદની વિગત મુજબ આરોપી વિજયભાઇ તથા મરનાર ઉર્મિલાબેન બંને પતિ-પત્ની થતા હોય આરોપી વિજય ભાઈ પોતાની પત્ની ઉર્મિલાબેન સાથે જમવાનું બનાવવાના બાબતે બોલાચાલી અને ઝઘડો કરેલ, અને ગમે તેમ ગાળો બોલી ઉર્મિલાબેન અને માથામાં જમણા કાન ના ભાગે તથા માથાના પાછળના ભાગે કુહાડીના ઘા મારી દેતાં તેને ગંભીર ઈજા થવાથી તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજયું હતું. પોલીસે ખૂનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!