રાજપીપળા ચંદ્રવિલા સોસાયટીમાં પાણીપુરીની લારી હટાવવા મામલે ઝઘડામાં મારક હથીયારો ઉછળ્યા. ઝપાઝપી મારામારીની ફરિયાદ
- સળિયા અને લાકડીઓ વડે જીવલેણ હુમલામાં ત્રણને ઇજા
- ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ.
રાજપીપળા ચંદ્રવિલા સોસાયટી માં પાણીપુરીની લારી હટાવવા મામલે ઝઘડો કરતા મારક હથીયારો ઉછળ્યા હતા, જેમાં ઝપાઝપી થતા મારામારીની પોલીસ ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે નોંધાઇ છે. જેમાં ફરિયાદી શૈલેન્દ્રસિંહ રામપ્રભાતસિંહ ચૌહાણ (રહે 50 ચંદ્રવિલા સોસાયટી) એ આરોપી નવાબસીંગ ભોગીરામ કુશવાહ,લવકુશ નવાબસિંગ કુશવાહ, મકરંદ નવાબસિંગ કુશવાહ, ઉમેશભાઈ પંચમસિંગ કુશવાહ (રહે, ચંદ્ર વિલા સોસાયટી) રાજપીપળા સામે ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી શૈલેન્દ્રસિંહના ઘરની સામે આરોપી નવાબસિંગ પાણીપુરીની લારી મૂકેલ હોય શૈલેન્દ્રસિંહ નવાબસિંગને લારી હટાવી લેતા જણાવતા તેમને શૈલેન્દ્રસિંહ ને ગાળો ભાંડવા માંડી હતી, અને ગાળો બોલવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાં ના સળિયા શૈલેન્દ્રસિંહના માથાના ભાગે મારી ઇજા પહોંચાડતાં લોહીલુહાણ થઈ ગયેલ.
આરોપી લવકુશ શૈલેન્દ્રસિંહના જમણા હાથના ભાગે લાકડી વડે સપાટો મારી તેમજ મકરંદ તથા ઉમેશભાઈ શૈલેન્દ્રસિંહને બચાવવા પડેલ ઉમાદેવી તથા પુષ્પેન્દ્રસિંહ ભદોરીયા તથા શૈલેન્દ્રસિંહ સાથે ઝપાઝપી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા