મહિલાઓની સુરક્ષા માટે કોઈ પણ સમયે 181અભયમ મહિલા હેલ્પલાઇન સેવાપહોંચાડવા કટિબદ્ધ
ગુજરાત સરકારશ્રી ના મહિલા -બાળ કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI ઘ્વારા સંચાલિત 181અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ ની શારીરિક, માનસિક, જાતીય કે કોઈપણ પ્રકાર ની હેરાનગતિ ના સમયે તાત્કાલિક મદદ, માર્ગદર્શન અને સહાય પહોંચાડવા કટ્ટીબદ્ધ છે. કોઈપણ મહિલા ને એવું જણાઈ આવે કે પોતે અસુરક્ષિત છે અથવા કોઈપણ પ્રકાર નો ભય, ડર સતાવી રહ્યો હોય તો તાત્કાલિક 181 મહિલા હેલ્પલાઇન મા કોલ કરવો.આ ઉપરાંત પોતાના સ્માર્ટ મોબાઈલ મા 181અભયમ એપ્સ ડાઉનલોડ કરી ને તાત્કાલિક અભયમ સેવા ની સેવા નો લાભ મેળવી શકે છે.
ટૂંકા ગાળા મા અભયમ મહિલા હેલ્પલાઇન ને ખુબ જ સારો પ્રતિભાવ મળેલ છે 6લાખ જેટલાં મહિલાઓ એ અભયમ મા કોલ કરી મદદ. માહિતી અને સહાય મેળવેલ છે જેમાં થી કટોકટી અને મુશ્કેલી ના સમયે સ્થળ પર રેસ્ક્યુવાન સાથે પહોંચી અઢી લાખ થી વધુ મહિલાઓ, વૃધ્ધો, કિશોરીઓ ને સુરક્ષા પહોંચાડી છે.
આ હેલ્પલાઇન નો પ્રચાર અને પ્રસાર માટે સરકાર શ્રી ના વિવિધ વિભાગો, મહિલા સંસ્થાઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ, પંચાયતી રાજ ની સંસ્થાઓ, સામાજિક કાર્યકરો, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી ના સહયોગ ઘ્વારા અભયમ ટીમ રેસ્ક્યુવાન સાથે ઉપસ્થિત રહી માહિતી પુરી પાડે છે. આપના વિસ્તાર ની મહિલાઓ ને અભયમ સેવા ઓ વિશે વિગતે માહિતી મળી રહે તે માટે માર્ગદર્શન માટે પણ 181મહિલા હેલ્પલાઇન મા કોલ કરી મહિલાઓ ની જાણકારી મા વધારો કરવા, મદદ પહોંચાડવા 181મહિલા હેલ્પલાઇન માં કોલ કરી આપનું અમૂલ્ય યોગદાન આપી શકો છો.
મહિલાઓ ને થતી ટેલિફોનિક હેરાનગતિ મા અભયમ હેડ ઓફિસ મા ખાસ ટેલિફોનિક સ્ટોપિન્ગ હેલ્પ ડેસ્ક કાર્યરત છે જેમાં કોઈપણ મહિલા ને ટેલિફોન,મોબાઈલ, ફેસબુક, વૉટસપ ઘ્વારા ખોટા મેસેજ, હેરાનગતિ કે ધમકી ના કિસ્સા મા અભયમ ને જણાવતા ટ્રેઈન caunselor અને પોલીસ ઘ્વારા કોલ કરનારનું technologyના માધ્યમ ઘ્વારા તેનું location જાણી તેને આવી હેરાનગતિ ના કરવા તાકીદ આપવામાં આવે છે અને તેમ છતાંય જો હેરાનગતિ ચાલુ રાખવામાં આવે તો રેસ્ક્યુ વાન મોકલી તેને ઝડપી લઈ પોલીસ ને સોંપવામાં આવે છે આ રીતે બિનજરૂરી ટેલિફોનિક મેસેજ કોલ થી પણ મહિલાઓ ને મોટી રાહત મળી રહી છે.
આ ઉપરાંત મહિલા કલ્યાણકારી યોજનાઓ ની પ્રાથિમિક માહિતી પણ આપવામાં આવે છે. આ હેલ્પલાઇન ની વિશેષતા છે કે ચોવીસ કલાક, વિના મુલ્યે સેવા પહોંચાડે છે કોઈપણ પીડિત મહિલા 181મા કોલ કરી શકે છે, કોઈપણ ત્રાહિત વ્યક્તિ પણ આવી ઘટના મા મદદ માટે કોલ કરી શકે છે, કોલ કરનાર ની માહિતી ગુપ્ત રાખવામાં આવશે . કોલ કરનાર ની ઈચ્છા અનુસાર અને જરૂરિયાત મુજબ કાઉન્સેલિંગ કરવામાં આવશે, પોલીસ સ્ટેશન મા ફરિયાદ અપાવવામાં મદદરૂપ બનશે આઉપરાંત ખાસ કિસ્સા મા સ્થળ પર રેસ્ક્યુ વાન સાથે પહોંચી સુરક્ષા અને સહાય પહોંચાડવા મા આવસે.