તિલકવાડા તાલુકાના ફતેપુરા ગામના યુવાને કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતાં મોત
- ડભોઈ થી વડોદરા ખસેડાતા સારવાર દરમિયાન મોત
તિલકવાડા તાલુકાના ફતેપુરા ગામના યુવાને કોઈ અગમ્ય કારણસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતાં યુવાનનું મોત નિપજયું છે. આ અંગે તિલકવાડા પોલીસે અકસ્માત મોત ગુણોની પોલીસ ફરિયાદ નોંધી છે. જેમાં ફરિયાદી રાવપુરા પોલીસ મથકની મહિલા હેડ કોન્સ્ટેબલ સરોજબેન મણીલાલ એ તિલકવાડા પોલીસમાં નોંધાવેલી ફરિયાદની વિગત અનુસાર મરનાર મુકેશભાઈ મગનભાઈ બારીયા( ઉં.વ. 45 રહે, ફતેપુરા)એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતાં તેની હાલત ગંભીર બનતાં પહેલાં તેને ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કરેલ ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં રીફર કરાતા ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા તિલકવાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા